Sunday, 24 July 2016

ખાશાબા દાદાસાહેબ જાધવ (KD Jadhav) - A forgotten hero


Rio Olympic 2016 ને શુરુ થવાને હવે થોડા દિવસો બાકી રહ્યા છે,આપ સૌ ને ખબર હશે ભારતની વસ્તી અને પ્રતિભા ના પ્રમાણે ભારત નો olympic માં દેખાવ સાવ સાધારણ કક્ષા નો રહ્યો છે, આનુ મુખ્ય કારણ રમત માં થતુ રાજકારણ,રમતવીરો ને મળતી ઓછી સગવડો અને લોકો નો રમત-ગમત વિષે અણગમો છે,હવે સમય બદલાય રહ્યો છે પરંતુ વિશ્વ કક્ષા એ ભારતે આજે પણ ઘણુ પાછળ છે.

ભારત ના olympic માં દેખાવ વિશે સપુર્ણ માહિતી સાથે આવનારા સમય માં લેખ પ્રગટ કરીશ,આજે હુ એવા વ્યક્તિ વિશે માહિતી આપવાનો જેના વગર ભારત નો ઓલિમ્પિક ઈતિહાસ અધુરો છે,આ વ્યક્તિ વિશે બહુ ઓછા લોકો જાણે છે, અને ભારતે સરકારે પણ આ વ્યકિત ની ઉપેક્ષા  કરી હતી,આ વ્યક્તિ એટલે "ખાશાબા દાદાસાહેબ જાધવ".ભારત આઝાદ થયું તે પછી વ્યક્તિગત સ્પર્ધામાં ભારતને પ્રથમ મેડલ અપાવનાર ખેલાડી  એટલે કે .ડી .જાધવ.





કે.ડી.જાધવ વિશે  ની થોડી હકીકતો.


  • જન્મ તાઃ ૧૫-૦૧-૧૯૨૬,,ગામ-ગોલેશ્વર (સાતારા,મહારાષ્ટ્ર) .મૃત્યુ: ૧૪-૦૮-૧૯૮૪
  • પ્રથમ કુસ્તી (wrestling) કોચ - દાદાસાહેબ જાધવ ( ૫ વર્ષ ની ઉંમ્ર થી પિતા દાદાસાહેબ પાસેથી કુસ્તી માં તાલિમ લેવાની શરુવાત).
  • 8 વર્ષની ઉંમરે , તેમણે માત્ર ૨ મિનિટ માં સ્થાનિક ચેમ્પિયન ને હરાવ્યો અને તેમના વિસ્તારમાં નિર્વિવાદ ચેમ્પિયન બન્યા.
  • કોલેજમાં તેમના કુસ્તી માર્ગદર્શન બાબુરાવ બાલાવડે અને બેલાપુરી ગુરુજી હતા.
  • ભારત છોડો આંદોલન માં પણ સહભાગ લીધો હતો.
  • કારર્કિદી શરૂવાતઃ ૧૯૪૮  (finished 6th in the flyweight category in 1948 London olympics)
  • ઇંગલિશ કોચ રીસ ગાર્ડન એ ૧૯૪૮ ઓલિમ્પિક ગેમ્સ પહેલાં "કે.ડી .જાધવ" ને તાલીમ આપી હતી.
  • ૧૯૫૨ હેલસિંકી (Helsinki) ઓલિમ્પિક- કુસ્તી મા કાસ્યં પદક(bronze medal) જીત્યુ,(bantamweight category -57 kg).
  • કુસ્તી માં પદક અપાવનાર પ્રથમ ભારતીય.
  • ભારતને વ્યક્તિગત સ્પર્ધામાં પહેલવહેલું ગૌરવ અપાવનાર જાધવ પાસે હેલસિંકી જવાના પૈસા ન હતા.(

    ૭૦૦૦રુ માં મકાન ગીરવે રાખ્યું હતું)

  • ઓલિમ્પિક્સમાં જાધવની ભાગીદારી માટે શાહજી લો કોલેજ , કોલ્હાપુર ના આચાર્ય પ્રો.દાભોલકરે પોતાનુ ઘર ગીરવે મુક્યુ હતુ.
  • એકમાત્ર ભારતીય ઓલિમ્પિક વિજેતા જેમને પદ્મ એવોર્ડ ક્યારેય પ્રાપ્ત થયો નહિ.
  • ૧૯૫૫ માં સબ- ઇન્સ્પેક્ટર તરીકે પોલીસ દળ સાથે જોડાયા.
  • મુંબઈમાં પોલીસ ઇન્સ્પેકટર હોવા છતાં  મૃત્યુસુધી તેઓ કારમી ગરીબીમાં જ જીવ્યાં.
  • ૧૯૮૪ માં માર્ગ અકસ્માતમાં તેમનુ મૃત્યુ થયુ.
  • ભારતને તેમની સફળતા રહી-રહીને યાદ આવી અને ૨૦૧૦ દિલ્હીમાં ઇન્દિરા ગાંધી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે તેમના માનમા કુસ્તી સ્થળ નુ નામ તેમના નામ પરથી આપવામા આવ્યુ.

મિત્રો જો આપને આ મારો લેખ પસંદ પડયો હોય તો આપના મિત્રો ને પણ શૅર કરજો , અને આપનો આભિપ્રાય આપવાનુ ચુકતા નહિ. 

1 comment:

Anonymous said...

🙌🏼👍🏻